CJP નો કેન્દ્ર સરકારને પડકાર: વાયદા પુરા કરો નહીંતર ફરી ધરણાં પર બેસીશું
CJP નો કેન્દ્ર સરકારને પડકાર: વાયદા પુરા કરો નહીંતર ફરી ધરણાં પર બેસીશું
Published on: 03rd August, 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજિત દીપકેએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે જો NEET-UGના આત્મહત્યા કરનારા ઉમેદવારોના પરિવારોને ₹1 કરોડનું વળતર નહીં આપવામાં આવે, તો CJP ફરીથી ધરણાં પર બેસશે. દીપકેએ જણાવ્યું કે, સરકારે આપેલા વાયદા પુરા કરવા જોઈએ, જ્યારે સાંસદો-ધારાસભ્યોને ખરીદવા કરોડો ખર્ચાય છે, ત્યારે વળતર માટે નિયમો-કાયદા યાદ આવે છે, જે સરકારની દાનત પર સવાલ ઊભા કરે છે. CJPની અન્ય માંગમાં શિક્ષણ મંત્રીના રાજીનામાનો સમાવેશ હતો.