આસામના પૂરપીડિતો માટે નીતા અંબાણીની 'મુખ્યમંત્રી રાહત કોષ'માં ₹21 કરોડ આપવાની જાહેરાત
આસામના પૂરપીડિતો માટે નીતા અંબાણીની 'મુખ્યમંત્રી રાહત કોષ'માં ₹21 કરોડ આપવાની જાહેરાત
Published on: 03rd August, 2026

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણીએ આસામના વિનાશક પૂરથી પ્રભાવિત પરિવારોને મદદ કરવા 'મુખ્યમંત્રી રાહત કોષ'માં ₹21 કરોડ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘અમારી પ્રાર્થના આસામના લોકો સાથે છે અને તમે આ મુશ્કેલીમાં એકલા નથી.’ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો તેમના સતત સહયોગ બદલ આભાર માન્યો. રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો જમીની સ્તરે ભોજન, આરોગ્ય સેવાઓ, અને આશ્રય જેવી મદદ પૂરી પાડી રહી છે.