અસ્માવતી ઘાટ ચેનલમાંથી રેતી દૂર કરવાની કામગીરી શરૂ: માછીમારોને રાહત
અસ્માવતી ઘાટ ચેનલમાંથી રેતી દૂર કરવાની કામગીરી શરૂ: માછીમારોને રાહત
Published on: 20th August, 2026

પોરબંદરના અસ્માવતી ઘાટની મુખ્ય ચેનલમાં રેતી ભરાવાથી ફિશિંગ બોટની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી. દિવ્યભાસ્કરના અહેવાલ બાદ તંત્ર સક્રિય થયું છે અને હવે ઘાટ ખાતે બોટની સરળ અવરજવર માટે ચેનલમાંથી રેતી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ઓટ સમયે ચેનલ છીછરી બનતા મોટી બોટો માટે જોખમ હતું. કરોડોની બોટો ફસાઈ જવાનો ભય માછીમારોમાં હતો. ભાસ્કરના અહેવાલ બાદ મશીન દ્વારા રેતી ઉપાડી કિનારે ખસેડાઈ રહી છે, જે માછીમારો માટે કામચલાઉ રાહતરૂપ છે.