અમરેલી જિલ્લાના ખેડૂતો ચિંતિત, પાક મુરજાવાની ભીતિ
અમરેલી જિલ્લાના ખેડૂતો ચિંતિત, પાક મુરજાવાની ભીતિ
Published on: 20th August, 2026

અમરેલી જિલ્લામાં ચોમાસુ સારું રહ્યું હોવા છતાં, છેલ્લા ૧૯ દિવસથી વરસાદનો વિરામ છે. આ કારણે પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. સિંચાઈની સગવડ ધરાવતા ખેડૂતો પિયત શરૂ કરી ચૂક્યા છે, પરંતુ જેઓની પાસે આ સુવિધા નથી તેઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો આગામી સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થાય તો કપાસ અને મગફળીનો બમ્પર પાક થવાની સંભાવના છે. જાફરાબાદ, વડિયા, બાબરા જેવા વિસ્તારોમાં વરસાદ ઘટતા પાક મુરજાવાની ચિંતા વધી રહી છે.