મોરબીમાં ઝાડા-ઉલ્ટીનો કહેર: સિવિલ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ, 637 કેસ નોંધાયા
મોરબીમાં ઝાડા-ઉલ્ટીનો કહેર: સિવિલ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ, 637 કેસ નોંધાયા
Published on: 20th August, 2026

મોરબીમાં વિલંબિત ચોમાસા બાદ વાતાવરણમાં પલટો આવતાં દૂષિત પાણી અને ગંદકીને કારણે પાણીજન્ય રોગોનો ફેલાવો વધ્યો છે. છેલ્લા બે મહિનામાં ઝાડા-ઉલ્ટીના 637 કેસ નોંધાયા છે, જેના કારણે સિવિલ હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. રોજ 50 થી 100 કેસ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, આ બીમારીએ ચિંતા વધારી છે. જનરલ પ્રેક્ટિશનરો મુજબ, કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો ગંદકી અને દૂષિત પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે.