NEET પેપર લીક: NTA પેનલ શિક્ષિકા માસ્ટરમાઇન્ડ, 9 આરોપી ઝડપાયા.
NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIએ પુણેની વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડહરેની દિલ્હીથી ધરપકડ કરી છે. તેઓ NTA પેનલની સભ્ય હતા અને પેપર લીકના માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. મંડહરે અને પુણેની મનીષા વાઘમારેએ મળી વિદ્યાર્થીઓને વિશેષ કોચિંગ આપી પરીક્ષા અગાઉ જ સવાલ જણાવ્યાનો આરોપ છે. CBIએ દેશભરમાં 6 સ્થળોએ દરોડા પાડી અનેક સામાન જપ્ત કર્યો છે, અને અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર પી.વી. કુલકર્ણીનો પણ સમાવેશ થાય છે. NEETની ફરી પરીક્ષા 21 જૂને યોજાશે.
NEET પેપર લીક: NTA પેનલ શિક્ષિકા માસ્ટરમાઇન્ડ, 9 આરોપી ઝડપાયા.
રાજકોટ એરપોર્ટ પર ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, IB તપાસ કરશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અંદાજે ₹10 કરોડની કિંમતની 400 કિલો ચાંદી ઝડપાતા ભારે સનસનાટી ફેલાઈ છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ બાતમીના આધારે દરોડો પાડી આ બિનહિસાબી જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચાંદીનો જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસીથી મોકલાયો હતો અને ‘સનરાઈઝ પેઢી’ નામના વેપારી દ્વારા તેની હેરફેર કરવામાં આવી હતી. આ ચાંદી રાજકોટના સામાકાંઠા વિસ્તારના એક જાણીતા વેપારીની હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
રાજકોટ એરપોર્ટ પર ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, IB તપાસ કરશે.
ડ્રેનેજ વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, તંત્ર નિષ્ફળ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજ કામગીરી માટે ફાળવાયેલા નાણાંનો પૂરતો ઉપયોગ ન થતાં શહેરના કોટ વિસ્તાર અને મધ્ય ઝોનના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા 16 મહિનામાં ડ્રેનેજ, ગટર અને પાણીની લાઈન સંબંધિત આશરે 1.35 લાખ ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે. વર્ષ 2024-25માં ડ્રેનેજ માટે ₹480 કરોડ ફાળવાયા હતા, પરંતુ તેમાંનો મોટો હિસ્સો ખર્ચાયો નહોતો. મધ્ય ઝોનના છ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકો સતત પરેશાન થઈ રહ્યા છે અને તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડ્રેનેજ વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, તંત્ર નિષ્ફળ.
અનુરાગ કશ્યપ સામે કોર્ટે કેસ નોંધવા કર્યો આદેશ.
અનુરાગ કશ્યપ પર બ્રહ્મસમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરત કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે BNSની કલમ 196, 352, અને 353(2) હેઠળ ગુનો નોંધી કાનૂની પ્રોસેસ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો છે. ફિલ્મના વિવાદિત દ્રશ્યો સામે પ્રતિક્રિયા રૂપે આ પોસ્ટ કરાઈ હતી. ફરિયાદીએ ડિજિટલ પુરાવા રજૂ કર્યા બાદ કોર્ટે આદેશ આપ્યો છે.
અનુરાગ કશ્યપ સામે કોર્ટે કેસ નોંધવા કર્યો આદેશ.
ગંગા જળ વહેંચણી: બાંગ્લાદેશની ભારતને ચેતવણી.
દક્ષિણ એશિયાના ભૂરાજકારણમાં ગંગા નદીના પાણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં સત્તા પર આવેલી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથેના ભવિષ્યના સંબંધો હવે ગંગા નદીના પાણીની વહેંચણી પર નિર્ભર રહેશે. બાંગ્લાદેશ માટે આ મુદ્દો માત્ર નદીનો વિવાદ નહીં પરંતુ 17 કરોડ લોકોમાંથી મોટી વસ્તીની આજીવિકા અને પર્યાવરણ સાથે જોડાયેલો છે. 1996માં થયેલી 30 વર્ષની ગંગા જળ સંધિ હવે અંતિમ તબક્કામાં હોવાથી બાંગ્લાદેશના આ આક્રમક વલણે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવી ચિંતાઓ ઊભી કરી છે.
ગંગા જળ વહેંચણી: બાંગ્લાદેશની ભારતને ચેતવણી.
શુભેન્દુ અધિકારીએ મમતા સરકારની ઓળખ ભૂંસી, 'વિશ્વ બાંગ્લા'ની જગ્યાએ અશોક સ્તંભ.
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની નવી ભાજપ સરકારે રાજ્યની સરકારી ઓળખમાં મોટા ફેરફારો શરૂ કર્યા છે. તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનરજી સરકારની ઓળખ ગણાતા ‘બિસ્વ બાંગ્લા’ લોગોને તબક્કાવાર દૂર કરી તેના સ્થાને રાષ્ટ્રીય પ્રતીક ‘અશોક સ્તંભ’ અપનાવવામાં આવી રહ્યો છે. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ સહિત અનેક સરકારી પ્લેટફોર્મ પર આ બદલાવ જોવા મળ્યો છે. ‘એગીયે બાંગ્લા’ પોર્ટલની ડિઝાઇન અને રંગ થીમ પણ બદલાઈ ગઈ છે અને વિવિધ વિભાગોના ડિજિટલ ચિહ્નોને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે.
શુભેન્દુ અધિકારીએ મમતા સરકારની ઓળખ ભૂંસી, 'વિશ્વ બાંગ્લા'ની જગ્યાએ અશોક સ્તંભ.
'પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..', સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને તણાવ વધુ વકરી ગયો છે. 15 મેના રોજ એક કથિત મધ્યસ્થતા અદાલતે જળ ગ્રહણ ક્ષેત્ર અંગે આપેલા ચુકાદાને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલેજણાવ્યું કે આ ગેરકાયદેસર રીતે રચાયેલી અદાલતના કોઈપણ નિર્ણયને ભારત માન્યતા આપતું નથી. ભારતે પહેલેથી જ સિંધુ જળ સંધિને સ્થગિત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી સંધિ ફરી અમલમાં આવશે નહીં.
'પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..', સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત.
ધોરાજીના ફરેણીમાં માટી ચોરી, ₹19.10 લાખનો મુદ્દામાલ સીઝ.
ધોરાજી તાલુકા વહીવટી તંત્રએ ફરેણી ગામમાં મોરમ માટીના ગેરકાયદેસર ખનન અને પરિવહનનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સરકારી મંજૂરી વિના JCB મશીન વડે ખોદકામ કરતા એક JCB અને ટ્રેક્ટરો સહિત ₹19.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ખનિજ વિભાગને પણ રિપોર્ટ કરાયો છે.
ધોરાજીના ફરેણીમાં માટી ચોરી, ₹19.10 લાખનો મુદ્દામાલ સીઝ.
સાયબર માફિયા સામે સુરત પોલીસનો માસ્ટર પ્લાન, નેટવર્ક તોડવા બ્લુપ્રિન્ટ તૈયાર.
સુરત પોલીસ સાયબર છેતરપિંડી રોકવા કમર કસી. ફોરેન કરન્સી, બિટકોઈન, શેરબજારના નામે થતી છેતરપિંડી અટકાવવા આંતરરાજ્ય-આંતરરાષ્ટ્રીય નેટવર્ક તોડવા સાયબર મીટ યોજાઈ. બેંકો અને ટેલિકોમ કંપનીઓના અધિકારીઓની ઉપસ્થિતિમાં એકશન પ્લાન બન્યો. નાગરિક સાથે ફ્રોડ થાય ત્યારે બેંકો એકાઉન્ટ Freeze કરશે, મોબાઈલ કંપનીઓ રિયલ-ટાઇમ ડેટા આપશે.
સાયબર માફિયા સામે સુરત પોલીસનો માસ્ટર પ્લાન, નેટવર્ક તોડવા બ્લુપ્રિન્ટ તૈયાર.
નેધરલેન્ડથી 1000 વર્ષ જૂના તમિલ દસ્તાવેજો, ટાટા-ASML ડીલ.
નેધરલેન્ડ યાત્રાએ પીએમ મોદીની હાજરીમાં 1000 વર્ષ જૂના ચોલ તામ્ર પટ્ટીકાઓ ભારત લાવવા કરાર થયો. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ ચિપ કંપની ASML વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ સમજૂતી થઈ. મોદીએ નેધરલેન્ડના રાજા-રાણીને મળ્યા, રોકાણ માટે ભારતમાં અત્યારે શ્રેષ્ઠ સમય ગણાવ્યો.
નેધરલેન્ડથી 1000 વર્ષ જૂના તમિલ દસ્તાવેજો, ટાટા-ASML ડીલ.
ત્રિવેન્દ્રમ-દિલ્હી રાજધાની એક્સપ્રેસના AC કોચ B-1માં આગ, 68 મુસાફરો સુરક્ષિત.
ત્રિવેન્દ્રમ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ (12431) ના AC કોચ B-1 માં આગ લાગતાં 68 મુસાફરોને 15 મિનિટમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. મધ્યપ્રદેશના લૂણીરીછા-વિક્રમગઢ આલોટ સ્ટેશન વચ્ચે આ ઘટના બની. કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાના કારણોની તપાસ ચાલુ છે. Delhi-Mumbai રેલ ટ્રેક પર ટ્રાફિક રોકવામાં આવ્યો છે.
ત્રિવેન્દ્રમ-દિલ્હી રાજધાની એક્સપ્રેસના AC કોચ B-1માં આગ, 68 મુસાફરો સુરક્ષિત.
JEE એડવાન્સ પરીક્ષા NEET વિવાદ વચ્ચે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, વાલીઓમાં નારાજગી.
IIT-NIT પ્રવેશ માટે JEE એડવાન્સ પરીક્ષા બે સેશનમાં યોજાઈ. NEET પેપર લીક વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી રહ્યા છે, જોકે દૂરના પરીક્ષા કેન્દ્રો ફાળવાતા વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. દેશભરમાંથી અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
JEE એડવાન્સ પરીક્ષા NEET વિવાદ વચ્ચે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, વાલીઓમાં નારાજગી.
અમદાવાદ વસ્ત્રાપુર મર્ડર કેસ: PI ને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ, DCP ને સોંપી તપાસ.
વસ્ત્રાપુર મર્ડર કેસમાં તત્કાલીન PI ગોવિંદભાઈ કે.ભરવાડ વિરુદ્ધ પુરાવા ન મળતાં પોલીસે બી સમરી ભરી હતી. કોર્ટે તેને ફ્લાવ્યો, DCP ઝોન-1 ને તપાસ સોંપી. સાક્ષીઓના નિવેદનમાં PI ની હાજરી, સીડીઆર, લોકેશન, સીસીટીવી ફૂટેજ ન મળ્યા. કોર્ટે સમરી રિપોર્ટ નામંજૂર કરી 60 દિવસમાં રિપોર્ટ માંગ્યો.
અમદાવાદ વસ્ત્રાપુર મર્ડર કેસ: PI ને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ, DCP ને સોંપી તપાસ.
ઠેબા ચોકડી પાસે ટ્રક ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા.
AI સજ્જ હેકર્સે 600 મિલિયન ડૉલર્સની લૂંટ ચલાવતા ક્રિપ્ટો માર્કેટમાં હડકંપ.
AIથી સજ્જ હેકર્સના વધતા ખતરા વચ્ચે 130 અબજ ડોલરના ક્રિપ્ટો સેક્ટરમાં ચિંતા ઊભી થઈ છે. હેકરોએ એપ્રિલ મહિનામાં બે મોટા હુમલામાં 600 મિલિયન ડોલરની ચોરી કરી હતી. આ હુમલા બાદ એક મોટા પ્લેટફોર્મમાંથી રોકાણકારોએ બે દિવસમાં જ લગભગ 9 અબજ ડોલરની રકમ ઉપાડી લીધી હતી. જ્યારે, અન્ય એક કંપનીને ભારે આર્થિક ફટકો પડયો હતો. સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં હુમલાખોરોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટારગેટ પસંદ કરીને હુમલાની પદ્ધતિ તૈયાર કરી હતી.
AI સજ્જ હેકર્સે 600 મિલિયન ડૉલર્સની લૂંટ ચલાવતા ક્રિપ્ટો માર્કેટમાં હડકંપ.
CNG ભાવવધારાથી કેબ સર્વિસ મોંઘી.
પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ વધારાને કારણે અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં કેબ સર્વિસ મોંઘી થશે. Ola, Uber, Rapido જેવા ઓપરેટરો માટે ખર્ચાળ બન્યું છે, જેના કારણે મુસાફરો પર ભાડાનો બોજ વધશે. ડ્રાઇવરોની આવક પર અસર થઈ રહી છે. CNGનો ભાવ 86.02 પ્રતિ કિલો થયો છે, જેના વિરોધમાં રિક્ષા ચાલકોએ આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે.
CNG ભાવવધારાથી કેબ સર્વિસ મોંઘી.
સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો.
મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વધુ તૂટયા હતા. વિશ્વબજારમાં ભાવ વધુ નીચા ઉતરતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઘટી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ જે શુક્રવારે ઉંચામાં રૂ.૯૬.૧૫ થઈ રૂ.૯૫.૯૬ બંધ રહ્યા હતા તે ભાવ શનિવારે ઘટી રૂ.૯૫.૮૩ આસપાસ બોલાઈ રહ્યા હતા.
સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો.
નાની NBFC નોંધણી મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે.
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ.
પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં કરાયેલા વધારાથી દેશની તેલ રિફાઈનરીઓને થયેલી રાહત ડોલર સામે રૂપિયામાં હવે પછીની કોઈપણ નબળાઈથી ધોવાઈ જશે એમ એસબીઆઈ ઈકોરેપના એક અહેવાલમાં જણાવાયું હતું. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા ૩નો વધારો કરાતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓને તેમની અન્ડર રિકવરીમાં રૂપિયા ૫૩૦૦૦ કરોડ જેટલી રાહત થશે. વર્તમાન નાણાં વર્ષમાં તેલ રિફાઈનરીઓને થનારી અપેક્ષિત ખોટના આ રકમ પંદર ટકા જેટલી થવા જાય છે.
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ.
કારના પૈસા ન મળતા ટીપુ ગેંગે કરી યુવકની ક્રૂર હત્યા..
નવસારીમાં જન્મદિવસની ઉજવણી સમયે યાસીન મેમણની સુરતની ટીપુ ગેંગ દ્વારા છરીના ઘા મારી હત્યા કરાઈ. કારના 4.50 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે થયેલા ઝઘડામાં ગેંગે આ crime કર્યો. પોલીસે 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. આરોપીઓનો criminal background પણ ઘણો ગંભીર છે.
કારના પૈસા ન મળતા ટીપુ ગેંગે કરી યુવકની ક્રૂર હત્યા..
મજાતંત્ર: કશું ન કરો તો પણ દેશભક્ત.
હવે દેશભક્ત બનવું સહેલું થયું છે. સોશિયલ મીડિયામાં ‘ભારત માતા કી જય’ લખી દો કે તિરંગો મૂકી દો. અથવા તો સોનું-ચાંદી ખરીદીને નહીં, પણ ન ખરીદીને દેશહિતમાં ફાળો આપો. સરકારી ઓફિસમાં પૂછપરછ કરો, તો જવાબ મળશે: ‘કશું જ નહીં. ઘરે બેસી રહો.’ આ રીતે બેરોજગાર લોકો ખરેખર ઉત્તમ દેશભક્ત છે, કારણ કે તેઓ પેટ્રોલ નથી બાળતા, સોનું-ચાંદી નથી ખરીદતા કે ફોરેન ટૂર નથી કરતા. તેઓ પર્યાવરણની પણ સેવા કરે છે.
મજાતંત્ર: કશું ન કરો તો પણ દેશભક્ત.
કેનેડા: 20,000 ભારતીય વિદ્યાર્થી 'નો શો'!
કેનેડા ગયેલા 20,000 ભારતીય વિદ્યાર્થીઓ 'નો શો' થયા છે, જે ચિંતાનો વિષય છે. આ વિદ્યાર્થીઓ ગાયબ નથી, પરંતુ તેમણે કોલેજમાં પ્રવેશ લીધો નથી અથવા હાજરી નથી ભરી. આના અનેક કારણો છે, જેમાં કડક સરકારી નિયમો, કોલેજો અને ફેક કન્સલ્ટન્ટ્સની ગોલમાલ, PR કે વર્ક પરમિટ મેળવવાનો પ્રયાસ, અને અમેરિકા જવાનું આયોજન શામેલ છે.
કેનેડા: 20,000 ભારતીય વિદ્યાર્થી 'નો શો'!
બેંક સાથે ઠગાઈ: સોનીની મિલીભગતથી બેંકને 21.39 લાખનો ચૂનો, 5ની ધરપકડ.
નવસારીમાં બેંક ઓફ બરોડામાં નકલી સોનાના દાગીના ગીરવે મૂકી 21.39 લાખની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર, લોન લેનારાઓ અને ખોટું સર્ટિફિકેટ આપનાર સોની સહિત 5 આરોપીને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ 2022 થી આ ઠગાઈ આચરી હતી, જેમાં અગાઉ બે મેનેજર દ્વારા ફરિયાદ ન નોંધાતા ગુનો ચાલ્યો. હાલમાં નવસારી કોર્ટે આરોપીઓને 19 મે સુધીના રિમાન્ડ પર મોકલ્યા છે.
બેંક સાથે ઠગાઈ: સોનીની મિલીભગતથી બેંકને 21.39 લાખનો ચૂનો, 5ની ધરપકડ.
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું: NIA
દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા ભીષણ હુમલાને લઇને તપાસ કરી રહેલી એનઆઇએ દ્વારા 10 આરોપીઓની સામે 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં અનેક મોટા ખુલાસા થયા છે, એનઆઇએએ કોર્ટને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં સક્રિય આતંકીઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં ગઝવા-એ-હિન્દનું મોટું કાવતરું ઘડી રહ્યા છે. આ બ્લાસ્ટમાં સામેલ તમામ આતંકીઓ શિક્ષિત છે. અંસાર ગઝવત ઉલ હિન્દ નામના આતંકી સંગઠન દ્વારા ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે.
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું: NIA
આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, ‘જિહાદી ડ્રગ’ ઝડપાયું.
આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મોટા ષડયંત્રનો NCB દ્વારા મુન્દ્રાથી પર્દાફાશ કરાયો. દેશમાં પહેલીવાર ‘જિહાદી ડ્રગ’ તરીકે કુખ્યાત ‘કેપ્ટાગોન’નો જંગી જથ્થો, ‘ઓપરેશન રેજપિલ’ હેઠળ 182 કરોડ રૂપિયાનું 227.7 કિલો ડ્રગ્સ ઝડપાયું. આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી.
આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, ‘જિહાદી ડ્રગ’ ઝડપાયું.
દિલ્હીમાં ૧૨૮ કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ.
દિલ્હી પોલીસની ઈઓડબલ્યુએ બનાવટી કંપનીઓ અને નકલી ઈનવોઈસના નેટવર્ક દ્વારા ચાલતા GST કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં ૧૨૮ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી, જેમાં છ લોકોને અટક કરવામાં આવ્યા છે. આરોપીઓએ માલ કે સેવા પૂરી પાડ્યા વિના બનાવટી કંપનીઓ ચલાવી, બોગસ GST ઈનવોઈસ બનાવ્યા અને ખોટી Input Tax Credit (ITC) મેળવી હતી.
દિલ્હીમાં ૧૨૮ કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ.
મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેનનો રૂટ નક્કી, પુણે માત્ર 50 મિનિટમાં.
મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેન પ્રકલ્પની રૂપરેખા નક્કી, પુણે, બારામતી, પંઢરપુર, સોલાપુર, કલબુર્ગી અને વિકારાબાદ માર્ગે દોડશે. આનાથી પુણે માત્ર 48-50 મિનિટમાં, સોલાપુર દોઢ કલાકમાં અને હૈદરાબાદ 2 કલાકથી ઓછા સમયમાં પહોંચી શકાશે. પંઢરપુર અને સોલાપુરના વિકાસ અને પર્યટનને વેગ મળશે.
મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેનનો રૂટ નક્કી, પુણે માત્ર 50 મિનિટમાં.
જગત મંદિર પર પ્રતિબંધ છતાં ડ્રોન ઉડ્યા, સુરક્ષા પર સવાલ.
દ્વારકા જગત મંદિરમાં ડ્રોન પ્રતિબંધિત હોવા છતાં, શનિવારે એક જ દિવસમાં બે વખત ડ્રોન ઉડતા જોવા મળ્યા. સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. CCTV ફૂટેજ અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ ચાલી રહી છે.