'પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..', સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત.
'પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..', સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત.
Published on: 17th May, 2026

ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને તણાવ વધુ વકરી ગયો છે. 15 મેના રોજ એક કથિત મધ્યસ્થતા અદાલતે જળ ગ્રહણ ક્ષેત્ર અંગે આપેલા ચુકાદાને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલેજણાવ્યું કે આ ગેરકાયદેસર રીતે રચાયેલી અદાલતના કોઈપણ નિર્ણયને ભારત માન્યતા આપતું નથી. ભારતે પહેલેથી જ સિંધુ જળ સંધિને સ્થગિત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી સંધિ ફરી અમલમાં આવશે નહીં.