ગંગા જળ વહેંચણી: બાંગ્લાદેશની ભારતને ચેતવણી.
ગંગા જળ વહેંચણી: બાંગ્લાદેશની ભારતને ચેતવણી.
Published on: 17th May, 2026

દક્ષિણ એશિયાના ભૂરાજકારણમાં ગંગા નદીના પાણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં સત્તા પર આવેલી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથેના ભવિષ્યના સંબંધો હવે ગંગા નદીના પાણીની વહેંચણી પર નિર્ભર રહેશે. બાંગ્લાદેશ માટે આ મુદ્દો માત્ર નદીનો વિવાદ નહીં પરંતુ 17 કરોડ લોકોમાંથી મોટી વસ્તીની આજીવિકા અને પર્યાવરણ સાથે જોડાયેલો છે. 1996માં થયેલી 30 વર્ષની ગંગા જળ સંધિ હવે અંતિમ તબક્કામાં હોવાથી બાંગ્લાદેશના આ આક્રમક વલણે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવી ચિંતાઓ ઊભી કરી છે.