ઓપરેશન સિંદૂરના 6 શહીદોના નામ નેશનલ વોર મેમોરિયલમાં અંકિત થશે, જાણો વિગતો
ઓપરેશન સિંદૂરના 6 શહીદોના નામ નેશનલ વોર મેમોરિયલમાં અંકિત થશે, જાણો વિગતો
Published on: 26th June, 2026

દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલમાં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન શહીદ થયેલા 6 વીર જવાનોના નામ હવે કાયમ માટે અંકિત કરવામાં આવશે. દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા આ વીરોને દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની ગ્રેનાઈટ ઈંટો પર કોતરવામાં આવશે. આ યાદીમાં ભારતીય સેનાના 5 જવાનો અને ભારતીય વાયુસેનાના 1 સાર્જન્ટનો સમાવેશ થાય છે. રાઇફલમેન સુનિલ કુમારને 'વીર ચક્ર' અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને 'વાયુ સેના મેડલ' મરણોત્તર એનાયત કરાયું છે.