પત્રકારોને ધમકી અને ગાળાગાળી કરતાં સાંસદ સંજય પાટીલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ
પત્રકારોને ધમકી અને ગાળાગાળી કરતાં સાંસદ સંજય પાટીલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ
Published on: 26th June, 2026

ઉત્તર પૂર્વ મુંબઈના સાંસદ સંજય દીના પાટીલ શિવસેના (ઉદ્ધવ) છોડીને શિંદે જૂથમાં જોડાયા બાદ વિવાદમાં આવ્યા છે. વિરોધ કરનાર કાર્યકરોને બોમ્બ ફેંકવાની અને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેમણે આ મુદ્દે પ્રશ્ન પૂછનારા પત્રકારોને પણ અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપી હતી. ઘટનાને લઈને પત્રકાર સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને માફી સાથે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મામલો વિધાનસભામાં પણ ગૂંજ્યો છે.