મહાભિયોગ પ્રસ્તાવ પર મમતા બેનર્જીની રાજકીય ચાલ.
મહાભિયોગ પ્રસ્તાવ પર મમતા બેનર્જીની રાજકીય ચાલ.
Published on: 18th March, 2026

તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવા માટે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવની નોટીસ આપી છે. મહાભિયોગ પ્રસ્તાવ તાત્કાલીક પસાર થતો નથી. મમતા બેનર્જી બંગાળના મતદારોને સંદેશો આપવા માંગે છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતી શકે એમ નથી તેથી જ SIR અભિયાન દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ કરીને ચૂંટણી જીતવા માંગે છે.