રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ફક્ત જાટ, રાજપુત અને શીખ શા માટે?
રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ફક્ત જાટ, રાજપુત અને શીખ શા માટે?
Published on: 03rd March, 2026

રાષ્ટ્રપતિની સુરક્ષા પ્રેસીડેંટ્સ બોડીગાર્ડ (PGB) સંભાળે છે. PGBમાં હિન્દુ જાટ, હિન્દુ રાજપુત અને જાટ શીખ જ હોય છે, જ્યારે યુનિટના અધિકારીઓ કોઈ પણ સંપ્રદાયના હોઈ શકે છે. આ યુનિટની શરૂઆત ૧૭૭૩માં વારાણસીમાં થઈ હતી. એ સમયના ગવર્નર વોરન હેસ્ટિંગ્સએ ખાસ પસંદ કરેલા ૫૦ ઘોડેસવાર જવાનોને યુનિટમાં લીધા હતા. ત્યાર પછી રાજા ચેતસિંહે બીજા ૫૦ ઘોડેસવાર જવાનોને સામેલ કર્યા હતા. આઝાદી પહેલા આ યુનિટમાં પંજાબી, મુસ્લિમ, શીખ અને રાજપુતનો સમાવેશ થતો હતો. ૧૯૪૭ના ભાગલા પછી મુસ્લિમ સૈનિકો પાકિસ્તાન ચાલ્યા ગયા જે પછી આ ખાલી જગ્યા જાટ હિન્દુઓએ ભરી. ત્યાર પછી આ પરંપરા ચાલી આવે છે.