પોરબંદરમાં સુકાતું ચોમાસુ: વરસાદ વિના બિલીપત્રની અછત, ભાવમાં મોટો ઉછાળો
પોરબંદરમાં સુકાતું ચોમાસુ: વરસાદ વિના બિલીપત્રની અછત, ભાવમાં મોટો ઉછાળો
Published on: 21st August, 2026

પોરબંદર જિલ્લામાં આ વર્ષે કોરા ધાકોર ચોમાસાની સીધી અસર જળસ્તર અને ધાર્મિક પરંપરાઓ પર થઈ રહી છે. વરસાદના અભાવે બિલીપત્રના વૃક્ષો સુકાઈ ગયા છે, જેના કારણે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને અર્પણ કરવા માટે બિલીપત્રની ભારે અછત સર્જાઈ છે. દર વર્ષે જે 108 બિલીપત્રની જોડી રૂ.40માં મળતી હતી, તે જ આ વર્ષે રૂ.60 ખર્ચવા છતાં દુર્લભ બની છે. સ્થાનિક આવકમાં 60-70% ઘટાડો થયો છે અને હવે બહારના જિલ્લાઓ પર નિર્ભરતા વધી છે.