નર્મદાના ચિકદાના આંબાવાડી ગામે ગુરૂ રવિદાસજીની જન્મજયંતિએ ભવ્ય કળશ યાત્રા
નર્મદાના ચિકદાના આંબાવાડી ગામે ગુરૂ રવિદાસજીની જન્મજયંતિએ ભવ્ય કળશ યાત્રા
Published on: 21st August, 2026

સંત શિરોમણી ગુરૂ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના ચિકદા મંડલના આંબાવાડી ગામે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય કળશ યાત્રાનું આયોજન થયું. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યષાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ, સંત ગુરૂ રવિદાસ મહારાજના સમાનતા, એકતા અને સામાજિક સમરસતાના સંદેશને ફેલાવવાનો સંકલ્પ કરાયો. વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો અને આગેવાનોને પાવન કળશનું વિતરણ કરાયું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, સંતો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.