પોરબંદરના ખેડૂતે ગૌમૂત્ર-છાણથી જીવામૃત બનાવી શૂન્ય કર્યો ખેતી ખર્ચ
પોરબંદરના ખેડૂતે ગૌમૂત્ર-છાણથી જીવામૃત બનાવી શૂન્ય કર્યો ખેતી ખર્ચ
Published on: 21st August, 2026

પોરબંદરના અડવાણા ગામના ખેડૂત મુરુભાઈ ભીમાભાઈ ગોઢાણીયાએ મોંઘા રસાયણો વિના પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓ ગૌમૂત્ર અને છાણમાંથી જીવામૃત, ઘનજીવામૃત અને અગ્નિઅસ્ત્ર જેવા દેશી ઘટકોનો ઉપયોગ કરીને શિયાળામાં ઘઉં, ચણા, ધાણા અને ચોમાસામાં મગફળીનું સફળ ઉત્પાદન મેળવી રહ્યા છે. આ પદ્ધતિથી તેમનો ખેતી ખર્ચ શૂન્ય થયો છે અને જમીનનું આરોગ્ય સુધર્યું છે. તેમના પ્રાકૃતિક ઉત્પાદનો સીધા ગ્રાહકો દ્વારા ખરીદાય છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે.