અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા-અંદાડા રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગટર ખોદકામ શરૂ કરાયું
અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા-અંદાડા રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગટર ખોદકામ શરૂ કરાયું
Published on: 21st August, 2026

અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડા રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા માર્ગ અને મકાન વિભાગે સક્રિયતા દાખવી છે. રોડની બંને બાજુએ પુરાઈ ગયેલી ગટરોને ખોદીને સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ચોમાસા દરમિયાન પાણીના યોગ્ય નિકાલના અભાવે વાહનચાલકોને થતી મુશ્કેલી અને પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખી આ પગલું લેવાયું છે. ગટર વ્યવસ્થાની સફાઈ અને ખોદકામથી વરસાદી પાણીના ઝડપી નિકાલની અપેક્ષા છે. જોકે, આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાવાની ચિંતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.