છત્તીસગઢ: નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓનું આત્મસમર્પણ, માઓવાદી વિચારધારાથી નિરાશ થઈને પોલીસ સમક્ષ કર્યું surrender.
છત્તીસગઢ: નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓનું આત્મસમર્પણ, માઓવાદી વિચારધારાથી નિરાશ થઈને પોલીસ સમક્ષ કર્યું surrender.
Published on: 11th September, 2025

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. નક્સલીઓએ ખોખલી માઓવાદી વિચારધારા, આદિવાસીઓ પર અત્યાચાર અને આંતરિક મતભેદોથી નિરાશ થઈને આ પગલું ભર્યું. આત્મસમર્પણ કરનારા નિમ્ન સ્તરના કાર્યકરો હતા, જેઓ માઓવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા. પોલીસ તેમને પુનર્વસન નીતિ હેઠળ સુવિધાઓ આપશે અને 50,000 રૂપિયાની સહાય પણ અપાશે. તાજેતરમાં સુકમા જિલ્લામાં નક્સલીઓએ બે ગ્રામજનોની હત્યા કરી હતી.