શનિ-રવિની રજામાં ફરવાનો પડી જશે જલસો
શનિ-રવિની રજામાં ફરવાનો પડી જશે જલસો
Published on: 14th September, 2026

હવે શનિ-રવિની રજાઓમાં પરિવાર અને મિત્રો સાથે ઉદયપુર ફરવાનો પ્લાન સરળ બનશે. રેલવે મંત્રાલયે રાજસ્થાનના ઉદયપુર અને સુરત વચ્ચે નવી વંદે ભારત ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે. આ ટ્રેન 694 કિમીનું અંતર ફક્ત 7 કલાક અને 30 મિનિટમાં કાપશે, જે હાલની ટ્રેનની સરખામણીમાં અડધો સમય છે. આ ટ્રેન નવરાત્રિના પહેલા નોરતે, એટલે કે 11 ઓક્ટોબરની આસપાસ શરૂ થઈ શકે છે. સુરત થી ઉદયપુર સિટી માટે એક્સપ્રેસ નંબર 26903 અને પરત ફરવા માટે 26904 હશે.