બોઇંગ-787માં ખામી અંગે બ્રિટનની એર ઇન્ડિયાને પૂછપરછ: ફ્યુઅલ સ્વીચમાં ખામી છતાં ઉડાનની મંજૂરી કેવી રીતે?
બોઇંગ-787માં ખામી અંગે બ્રિટનની એર ઇન્ડિયાને પૂછપરછ: ફ્યુઅલ સ્વીચમાં ખામી છતાં ઉડાનની મંજૂરી કેવી રીતે?
Published on: 05th February, 2026

લંડન જતી એર ઇન્ડિયાના Boeing 787-8 વિમાનમાં ટેકનિકલ ખામી બાદ બ્રિટિશ CAAએ તપાસ શરૂ કરી છે. ફ્યુઅલ સ્વીચમાં ખામી હોવા છતાં વિમાનને ઉડવાની મંજૂરી કેવી રીતે અપાઈ તે અંગે એર ઇન્ડિયા પાસે જવાબ માંગવામાં આવ્યો છે. CAAએ કાર્યવાહીની ચેતવણી આપી છે અને DGCA તપાસ કરી રહી છે. એર ઇન્ડિયાએ Boeing 787 વિમાનોના ફ્યુઅલ સ્વીચની તપાસ પૂર્ણ કરી છે. ગયા વર્ષે અમદાવાદમાં એર ઇન્ડિયાનું Boeing 787-8 ક્રેશ થયું હતું.