વિશ્વ રક્તદાતા દિવસ: સુરેન્દ્રનગરમાં રક્તની ભારે અછત
વિશ્વ રક્તદાતા દિવસ: સુરેન્દ્રનગરમાં રક્તની ભારે અછત
Published on: 14th June, 2026

તા. 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થાય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ભીષણ ગરમીને કારણે રક્તદાન પર માઠી અસર પડી છે. સામાન્ય દિવસોમાં યોજાતા બ્લડ ડોનેશન કેમ્પમાં ઘટાડો થતાં બ્લડ સેન્ટરોમાં લોહીની ભારે અછત છે. દર મહિને 1600 બોટલની જરૂરિયાત સામે માત્ર 200 બોટલ જ ઉપલબ્ધ છે, જેથી 1400 બોટલની મોટી ઘટ વર્તાઈ રહી છે. ઈમરજન્સી બફર સ્ટોક પણ ખાલી થવાના આરે છે, જે દર્દીઓના જીવ જોખમમાં મૂકી શકે છે.