જામનગર રેલવે સ્ટેશન પર પાસ વગર સમોસા-પાણી વેચતા ત્રણ ફેરીયા ઝડપાયા
જામનગર રેલવે સ્ટેશન પર પાસ વગર સમોસા-પાણી વેચતા ત્રણ ફેરીયા ઝડપાયા
Published on: 26th August, 2026

જામનગર રેલવે સ્ટેશન પર રેલવે હદમાં પાસ કે ટિકિટ વગર પ્રવેશ કરી, મુસાફરોની ભીડમાં ધક્કામુક્કી કરી સમોસા અને પાણી વેચાણ કરતા ત્રણ ફેરીયાઓને LCB પોલીસે ઝડપી લીધા. ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ ફેરીયાઓ મુસાફરોને ત્રાસ આપી રહ્યા હોવાનું જણાયું હતું. પૂછપરછ કરતાં તેમની પાસે પાસ કે ટિકિટ ન હોવાનું બહાર આવ્યું હતું.