જામનગર શહેર અને જિલ્લામાં પખવાડિયાથી વરસાદ નહીં
જામનગર શહેર અને જિલ્લામાં પખવાડિયાથી વરસાદ નહીં
Published on: 26th August, 2026

જામનગર અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ ચોમાસામાં વરસાદની અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જામનગર જિલ્લામાં છેલ્લા પખવાડિયાથી વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી, અને ઓગસ્ટ મહિનો કોરો રહ્યો છે. અત્યાર સુધી નોંધાયેલો વરસાદ જરૂરિયાત કરતાં ઓછો હોવાથી ખરીફ પાકના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. આગામી સપ્તાહમાં સારો વરસાદ નહી થાય તો ઉભા પાકને નુકસાન થવાની સંભાવના છે. આશરે 27 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર બનવાની આશંકા છે.