ટીવી એક્ટ્રેસ અદિતિ શર્માએ ઘરેલુ હિંસા પર મૌન તોડ્યું
ટીવી એક્ટ્રેસ અદિતિ શર્માએ ઘરેલુ હિંસા પર મૌન તોડ્યું
Published on: 26th August, 2026

ટીવી શો 'અપોલીના' ફેમ અદિતિ શર્મા લગ્નના માત્ર 4 મહિનામાં જ પતિથી અલગ થઈ ગઈ હતી. એક્ટ્રેસે પતિ, સાસુ અને નણંદ સામે ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા. અદિતિએ હવે આ અંગે મૌન તોડી કહ્યું કે, 'હું હાલ આ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહી છું અને મને થોડો સમય અને સ્પેસ જોઈએ છે.' તેણે આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા લોકોને હિંમત જાળવી રાખવા અને પરિવારનો સપોર્ટ લેવાની સલાહ આપી. મેડિટેશન તેને મદદરૂપ થયું હોવાનું પણ જણાવ્યું.