ગુજરાતમાં શિક્ષકોની જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા અને રેલી
ગુજરાતમાં શિક્ષકોની જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા અને રેલી
Published on: 17th June, 2026

જૂની પેન્શન યોજના (OPS) પુનઃ લાગુ કરવા અને TET-TAT પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે ગુજરાતભરના શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. અમદાવાદ, પંચમહાલ અને છોટાઉદેપુર સહિત અનેક જિલ્લાઓમાં હજારો શિક્ષકોએ રેલી, ધરણા અને વિરોધ પ્રદર્શન કરીને સરકારને આવેદનપત્ર આપ્યા હતા. શિક્ષકોનો આક્ષેપ છે કે વર્ષોથી તેમના વહીવટી અને આર્થિક હકો અવગણવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો રાજ્યવ્યાપી કાર્યબહિષ્કાર અને વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.