સુરતના પાંડેસરામાં ડાઈંગ મિલમાં કેમિકલ ટાંકી સાફ કરતા 3 શ્રમિકોના મોતથી શોકની લાગણી.
સુરતના પાંડેસરામાં ડાઈંગ મિલમાં કેમિકલ ટાંકી સાફ કરતા 3 શ્રમિકોના મોતથી શોકની લાગણી.
Published on: 07th March, 2026

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં ન્યુ પારસ ડાઈંગ મિલમાં કેમિકલ ટાંકી સાફ કરતી વખતે ચાર શ્રમિકો ગૂંગળાયા, ત્રણના મોત થયા અને એક વેન્ટિલેટર પર છે. તેઓને કોન્ટ્રાક્ટ હેઠળ બોલાવવામાં આવ્યા હતા. ટાંકીમાંથી કચરો સાફ કરતી વખતે ગેસ લીકેજ થતા આ દુર્ઘટના બની. પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં ગેસ લીકેજનું કારણ અને સુરક્ષામાં બેદરકારીની તપાસ ચાલી રહી છે. હાલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.