સુરેન્દ્રનગરના ખારાઘોઢામાં 500 એકર જમીન આપવા મુદ્દે વિવાદ યથાવત
સુરેન્દ્રનગરના ખારાઘોઢામાં 500 એકર જમીન આપવા મુદ્દે વિવાદ યથાવત
Published on: 26th June, 2026

દસાડાના ખારાઘોડામાં ખાનગી કંપનીને 5 હજાર એકર જમીન ભાડે આપવાના નિર્ણય સામે અગરીયાઓનો વિરોધ ઉગ્ર બન્યો છે. આ મુદ્દે પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોએ અલગ-અલગ કાર્યક્રમો યોજ્યા હતા. વર્તમાન ધારાસભ્યે અગરીયાઓ સાથે સંવાદ કરી પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી, જ્યારે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પ્રતીક ધરણા કરીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરીને અગરીયાઓના રોજગાર અને હિતોની સુરક્ષા કરવાની માંગ કરી છે.