સુરત: ભાગળ અને ચૌટાપુલ બજારમાં મનપાનો સપાટો, અખાદ્ય ખોરાકનો નાશ અને ₹31,400 નો દંડ વસૂલાયો.
સુરત: ભાગળ અને ચૌટાપુલ બજારમાં મનપાનો સપાટો, અખાદ્ય ખોરાકનો નાશ અને ₹31,400 નો દંડ વસૂલાયો.
Published on: 19th March, 2026

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભાગળ અને ચૌટાપુલમાં ચેકિંગ હાથ ધર્યું. 227 સંસ્થાઓમાં તપાસમાં 27 કિલો અખાદ્ય ખોરાક અને 24 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું. નિયમભંગ બદલ ₹31,400 નો દંડ વસૂલ કરાયો. વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને કચરો અલગ રાખવા સૂચના અપાઈ.