મહેસાણામાં મિની વાવાઝોડાથી વીજપોલ ધરાશાયી, તણખાથી ખેતરમાં આગ લાગી, પાક બળીને ખાખ.
મહેસાણામાં મિની વાવાઝોડાથી વીજપોલ ધરાશાયી, તણખાથી ખેતરમાં આગ લાગી, પાક બળીને ખાખ.
Published on: 19th March, 2026

ખેરાલુના ચોટીયામાં મીની વાવાઝોડાને કારણે વીજલાઈનના તણખાથી આગ લાગતા બે વિઘા ઘઉંનો પાક બળી ગયો. ખેડૂત કિરણભાઈને 65 મણથી વધુનું નુકસાન થયું હોવાનો આક્ષેપ છે. સ્થાનિકો Ugvclની બેદરકારીથી રોષે ભરાયા છે અને તાત્કાલિક વાયર રિપેર કરવાની માંગ કરી છે. સ્થાનિકોએ Ugvclને વારંવાર રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.