અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં આગ!
અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં આગ!
Published on: 18th July, 2026

અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 8 લોકોના દુઃખદ મોત નીપજ્યાં અને 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. આ ઘટનામાં તાત્કાલિક ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને PMNRF હેઠળ ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાય જાહેર કરી છે. રાજ્ય સરકારે પણ મૃતકોના પરિવારો માટે ₹4 લાખની સહાયની જાહેરાત કરી છે.