લખતરમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનના પુત્ર પર હુમલો
લખતરમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનના પુત્ર પર હુમલો
Published on: 19th July, 2026

સુરેન્દ્રનગરના લખતરમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનના પુત્ર પર થયેલા હુમલા બાદ સામસામે ફરિયાદ નોંધાઈ છે. જયંતીભાઈ નાનજીભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ટીડીઓ અને મામલતદારમાં ગટર કામ બાબતે રજૂઆતનું મનદુઃખ રાખી નંદુબેન, અલ્પાબેન, મોન્ટુ, તૃપ્તીબેન અને બીપીન દ્વારા તેમની કાર પર પથ્મારા કરીને કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત, ઘર પર પથ્થરમારો કરી અને મંદિર પાસે ભાઈના કેબીનને પણ નુકશાન પહોંચાડાયું હતું.