સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે NCCના ‘અપરાજિતા–પારંગ લા 2026’ અભિયાનનો પ્રારંભ કર્યો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે NCCના ‘અપરાજિતા–પારંગ લા 2026’ અભિયાનનો પ્રારંભ કર્યો
Published on: 18th August, 2026

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 18 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીથી NCCની ઓલ ઇન્ડિયા ગર્લ્સ હાઇ ઓલ્ટીટ્યુડ લોંગ ટ્રેક ‘અપરાજિતા – પરાંગ લા 2026’ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ અભિયાન ટ્રાન્સ હિમાલયન ક્ષેત્રમાં સ્થિત પરાંગ લા ઘાટ (Parang La Pass) પર યોજાશે. આ ઘાટ હિમાચલ પ્રદેશની સ્પીતિ ઘાટી (Spiti Valley) ને લદ્દાખના ચાંગથાંગ (Changthang) પ્રદેશ સાથે જોડે છે.