જામનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર: ત્રણ બાળકો G.G. Hospital માં દાખલ
જામનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર: ત્રણ બાળકો G.G. Hospital માં દાખલ
Published on: 18th July, 2026

જામનગરમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ છે. શહેરમાં બે પોઝિટિવ કેસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક શંકાસ્પદ કેસ G.G. Hospital માં સારવાર હેઠળ છે. ત્રણેય બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું બાળરોગ વિભાગના વડા ડૉ. સોનલ શાહે જણાવ્યું છે. આ વાયરસ ખાસ પ્રકારની માખી કરડવાથી ફેલાય છે. તબીબોએ બાળકોને સંપૂર્ણ ઢંકાય તેવા કપડાં પહેરાવવા અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે. તીવ્ર તાવ, ખેંચ, ઉલટી કે ચક્કર જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક હૉસ્પિટલનો સંપર્ક કરવો.