અમરેલી બગસરામાં ઘેટાને શિકાર બનાવનાર રાક્ષસી અજગરને વનવિભાગ દ્વારા ઝડપી લેવાયો
અમરેલી બગસરામાં ઘેટાને શિકાર બનાવનાર રાક્ષસી અજગરને વનવિભાગ દ્વારા ઝડપી લેવાયો
Published on: 08th August, 2026

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં વન્યજીવોનો આતંક વધી રહ્યો છે. કાગદડી ગામે એક વિશાળ અજગરે ઘેટા પર હુમલો કરી તેને શિકાર બનાવ્યો. માલધારી પશુ ચરાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. અજગરની મજબૂત પકડમાં આવી જવાથી ઘેટાનું મોત થયું. વનવિભાગને જાણ થતાં ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ અંદાજે 10-12 ફૂટ લાંબા અને 25 કિલોગ્રામ વજનના અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું. તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવાયો. સતત બનતી આવી ઘટનાઓથી ગ્રામજનોમાં ચિંતા પ્રસરી છે.