સ્પાના નામે ચાલતા દેહવ્યાપાર પર SMC ત્રાટક્યું!
સ્પાના નામે ચાલતા દેહવ્યાપાર પર SMC ત્રાટક્યું!
Published on: 08th August, 2026

સ્પા અને વેલનેસ સેન્ટરોનો મુખ્ય હેતુ થાક, તણાવ અને માનસિક શાંતિ માટે સેવાઓ પૂરી પાડવાનો છે, પરંતુ કેટલાક સ્થળોએ તેની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. રાજકોટ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વિવિધ સ્પા અને વેલનેસ સેન્ટરોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન કેટલીક મહિલાઓ અને ગ્રાહકોની અટકાયત કરવામાં આવી અને પાંચ કેસ નોંધાયા. SMCએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે.