ચોમાસામાં ખાતરની અછત: છોટા ઉદેપુર અને ગોધરામાં ખેડૂતોને ભારે હાલાકી
ચોમાસામાં ખાતરની અછત: છોટા ઉદેપુર અને ગોધરામાં ખેડૂતોને ભારે હાલાકી
Published on: 08th August, 2026

રાજ્યમાં ચોમાસાની સિઝન જામતા જ ખેતી માટે ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. આધારકાર્ડ દીઠ માત્ર બે થેલી ખાતર મળતા ખેડૂતો નારાજ છે. ગોધરામાં સર્વર ડાઉન અને OTPની સમસ્યાને કારણે વિતરણ કામગીરી અટકી પડતા ખેડૂતોને વધુ મુશ્કેલી પડી રહી છે.