જામજોધપુર નજીક પરિણીતાએ માનસિક તણાવથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા
જામજોધપુર નજીક પરિણીતાએ માનસિક તણાવથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા
Published on: 08th August, 2026

જામનગર જિલ્લાના જામજોધપુર પાસે રેલવે ટ્રેક પર 54 વર્ષીય પરિણીતા વનિતાબેન જીવનભાઇ વાઘિયાએ ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ અને બીમારીથી પીડાઈ રહ્યા હતા અને અગાઉ દવા લેતા હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી બંધ કરી દીધી હતી. તા. 7 ઓગસ્ટના રોજ બપોરે ન્યારા પેટ્રોલ પંપ સામે રેલવે ટ્રેક પર આ ઘટના બની. મૃતકના પુત્રએ જામજોધપુર પોલીસમાં અકસ્માત મોતની જાણ કરી છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.