પારડીના ડુમલાવ ગામે 3 દિવસ બાદ દીપડી પાંજરે પુરાઇ
પારડીના ડુમલાવ ગામે 3 દિવસ બાદ દીપડી પાંજરે પુરાઇ
Published on: 08th August, 2026

વલસાડના પારડી તાલુકાના ડુમલાવ ગામે રહેણાંક વિસ્તારમાં દીપડીએ મરઘા અને કુતરાનો શિકાર કરતા લોકોમાં ભય ફેલાયો હતો. વન વિભાગે પાંજરું ગોઠવ્યા બાદ ત્રણ દિવસ બાદ શુક્રવારે રાત્રે લગભગ 4 વર્ષિય દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી. આ ઘટના બાદ વન વિભાગે દીપડીનો કબજો લઈ મેડિકલ ચેક કરાવ્યું અને સુરક્ષિત જંગલમાં છોડવાની પ્રક્રિયા હાથ ધરી. ગામલોકોના જણાવ્યા મુજબ, અંબાચ અને ડુમલાવ વિસ્તારમાં હજુ પણ બે-ત્રણ દીપડા ફરતા હોવાનું અનુમાન છે.