અમરેલીના ચતુરીમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, અર્જુન મોઢવાડીયા પહોંચ્યા પરિવારને મળવા
અમરેલીના ચતુરીમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, અર્જુન મોઢવાડીયા પહોંચ્યા પરિવારને મળવા
Published on: 26th June, 2026

અમરેલીના ચતુરી ગામમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષીય બાળકના મોત બાદ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવારને સાંત્વના આપી અને ગામલોકો સાથે બેઠક કરી. સ્થાનિકોએ સિંહોના વધતા હુમલા અને સુરક્ષાના મુદ્દે રજૂઆતો કરી. છેલ્લા એક મહિનામાં વિસ્તારમાં સિંહ હુમલામાં ચાર લોકોના મોત થયા છે. વનમંત્રીએ માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા નવી SOP તૈયાર કરવાની અને લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે.