જાંબુઘોડામાં સંસ્કૃત ગૌરવ યાત્રા: સાંસ્કૃતિકતા અને શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી
જાંબુઘોડામાં સંસ્કૃત ગૌરવ યાત્રા: સાંસ્કૃતિકતા અને શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી
Published on: 26th August, 2026

જાંબુઘોડા નગરમાં સંસ્કૃત ભાષાના ગૌરવ અને ભારતીય સંસ્કૃતિના સંદેશ સાથે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. વિવિધ બેનરો, સાંસ્કૃતિક વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ, પરેડ, બેન્ડ અને લેઝીમ પ્રદર્શન સાથે યાત્રા નગરના માર્ગો પર ફરી રણછોડજી મંદિર ખાતે પૂર્ણ થઈ. આ યાત્રામાં કન્યા સાક્ષરતા નિવાસી શાળાની વિદ્યાર્થિનીઓએ મનમોહક પ્રદર્શન કર્યું. સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવનાર ચાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.