શિક્ષણને વધુ પડતું ગંભીર બનાવ્યું છે...
શિક્ષણને વધુ પડતું ગંભીર બનાવ્યું છે...
Published on: 25th July, 2026

ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ પર બોર્ડના વર્ષનું દબાણ એટલું વધારે છે કે તેઓ અભ્યાસ સિવાયની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતા નથી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું ગળું દબાવી દેવામાં આવે છે. ટકાવારી અને ડિગ્રી જ જીવનનો અંતિમ ઉદ્દેશ બની ગયા છે. શિક્ષણનો મૂળ હેતુ બાળકની અંદર રહેલી ક્ષમતાને બહાર લાવવાનો છે, પરંતુ અહીં બહારની માહિતીને અંદર ઠાંસી દેવાય છે. શાળાઓ અને ઘરોમાં પણ વિદ્યાર્થીઓ પર સતત ભણવાનું દબાણ હોય છે. આ પરિસ્થિતિમાં, શિક્ષણ સહજ બનાવવાની જરૂર છે.