ગરીબ ખેડૂતના દીકરાની IIT અને સિવિલ સેવા પરીક્ષા પાર કરવાની પ્રેરણાદાયી સફર
ગરીબ ખેડૂતના દીકરાની IIT અને સિવિલ સેવા પરીક્ષા પાર કરવાની પ્રેરણાદાયી સફર
Published on: 26th July, 2026

રાજસ્થાનના ઝુંઝુનુના ખેડૂત પુત્ર સંજય રાવે ગરીબી અને અનેક મુશ્કેલીઓ વચ્ચે દીવાના અજવાળે અભ્યાસ કરીને પોતાના સપનાને સાકાર કર્યું. શરૂઆતમાં IITમાં પ્રવેશ ન મળતાં તેમણે એક વર્ષનો ડ્રોપ લઈને સફળતા મેળવી. બાદમાં સિવિલ સર્વિસની તૈયારી દરમિયાન આર્થિક સંઘર્ષ અને ડેન્ગ્યુ જેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છતાં હિંમત ન હારી. અંતે સંજય રાવ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS)માં પસંદગી મેળવી, જે તેમની મહેનત, ધીરજ અને સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ છે.