એમ.પી. શાહ કોલેજ ૨૫ આદર્શ કોલેજોમાં પસંદ
એમ.પી. શાહ કોલેજ ૨૫ આદર્શ કોલેજોમાં પસંદ
Published on: 16th June, 2026

સુરેન્દ્રનગર સ્થિત એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ૧૫ જૂનના રોજ સત્રારંભ બેઠક યોજાઈ. આચાર્ય ડો. અમિતકુમાર મિશ્રાએ માહિતી આપી કે, રાજ્યની ૨૫ આદર્શ કોલેજોમાં એમ.પી. શાહ કોલેજની પસંદગી થઈ છે. તેમણે નવા સત્ર માટે વિદ્યાર્થીઓ અને સ્ટાફને શુભકામનાઓ પાઠવી. શૈક્ષણિક કાર્ય સમયસર થાય અને વિદ્યાર્થીલક્ષી અભિગમ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન અપાયું, જેથી ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડી શકાય.