IIM અમદાવાદ અને ખેતિકા ફાઉન્ડેશન વચ્ચે 'ક્લીન ફૂડ ઇન્ડિયા 2030' માટે MoU
IIM અમદાવાદ અને ખેતિકા ફાઉન્ડેશન વચ્ચે 'ક્લીન ફૂડ ઇન્ડિયા 2030' માટે MoU
Published on: 16th June, 2026

IIM અમદાવાદ અને ખેતિકા ફાઉન્ડેશન વચ્ચે 'ક્લીન ફૂડ ઇન્ડિયા 2030' હેઠળ સ્વચ્છ, સલામત અને કેમિકલ મુક્ત ખોરાકને પ્રોત્સાહન આપવા માટે મહત્વનો MoU થયો છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને ખાતરની અછત સામે લડવા તાલીમ આપવાનો છે. અલનીનો ઇફેક્ટ અને વૈશ્વિક સ્થિતિને કારણે ભવિષ્યમાં રાસાયણિક ખાતરની અછત ન સર્જાય તે માટે ખેડૂતોને કુદરતી અને સેન્દ્રીય ખાતરના ઉપયોગની વિગતો આપવામાં આવશે. આનાથી ખેડૂતોને આપત્તિ સામે રક્ષણ મળશે અને આવકમાં વધારો થશે.