પંચમહાલ જિ. શૈક્ષિક સંઘ દ્વારા TET પરીક્ષા મુક્તિ ધરણાં કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જિ. શૈક્ષિક સંઘ દ્વારા TET પરીક્ષા મુક્તિ ધરણાં કાર્યક્રમ યોજાયો
Published on: 26th June, 2026

સુપ્રીમ કોર્ટના શિક્ષકો માટે ફરજિયાત TET પરીક્ષાના ચુકાદાના વિરોધમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા ગોધરાની સાંદિપની નર્સિંગ કોલેજ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા અને તાલુકાના શિક્ષકો, HTAT મુખ્ય શિક્ષકો, BRC-CRC સંયોજકો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ આગેવાનોએ મુદ્દે ચર્ચા કરી અને બાદમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી TET ફરજિયાતની જોગવાઈમાં રાહત આપવા માંગ કરી.