વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ.
ભાવનગર - ગુજરાત શિક્ષણ બોર્ડના નિયત કેલેન્ડર મુજબ વેકેશન જાહેર થયું હોવા છતાં કેટલીક સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૃ હોવાની ફરિયાદ મળતા ડીઇઓ કચેરી દ્વારા રૃબરૃ સ્થળ તપાસ કરી હકીકત જણાતા ત્રણ ખાનગી સ્કૂલોને કારણદર્શક નોટિસ આપતા ચર્ચા જાગી છે. ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરના વાર્ષિક કેલેન્ડર મુજબ વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું વેકેશન જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ તા.૪-૫ થી ૭-૬ સુધી ઉનાળુ વેકેશન જાહેર થયેલ છે.
વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ.
NEET UG પરીક્ષા રદ: CBI તપાસનો આદેશ, 120 પ્રશ્નો લીક.
ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 3 મેના રોજ લેવાયેલી આ પરીક્ષાને પેપર લીકની આશંકા બાદ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં 'ગેસ પેપર' લીક થયાના પુરાવા મળતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને શિક્ષણ મંત્રાલયે આ કઠોર નિર્ણય લીધો છે. હવે આ કેસની તપાસ CBI ને સોંપવામાં આવી છે. NTAના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સમાં જાણવા મળ્યું હતું કે પરીક્ષાની પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવી હતી.
NEET UG પરીક્ષા રદ: CBI તપાસનો આદેશ, 120 પ્રશ્નો લીક.
રાજકોટમાં દૂષિત પાણી વિતરણ: મનપા બેદરકાર, વિસ્તારો અજાણ.
ઉનાળામાં રાજકોટમાં દૂષિત પાણી વિતરણનો ગંભીર મામલો સામે આવ્યો છે. મનપા દ્વારા લેવાયેલ 164 પાણીના સેમ્પલ પૈકી 13 સેમ્પલ 'અનફીટ' જાહેર થયાં છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, કયા વિસ્તારોમાં આ દૂષિત પાણી પહોંચ્યું છે તે અંગે મનપા ખુદ અજાણ હોવાનો અને વિસ્તારોના નામ છૂપાવવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ છે. આનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે અને મનપાની વોટર વર્ક્સ વિભાગની ગંભીર બેદરકારી ઉજાગર થઇ છે.
રાજકોટમાં દૂષિત પાણી વિતરણ: મનપા બેદરકાર, વિસ્તારો અજાણ.
પ્રેમિકાની હત્યા, નજીવી બાબતે પ્રેમીએ કાતર વડે કર્યો હુમલો.
સુરતના અમરોલીમાં રસોઈના ધુમાડા બાબતે થયેલા ઝઘડામાં પ્રેમી ભાવેશ પાંડવે તેની લિવ-ઈન પાર્ટનર જયાબેનની કાતર વડે ગળા પર ઘા ઝીંકી હત્યા કરી નાખી. 7 વર્ષથી સાથે રહેતા આ દંપતી વચ્ચે સામાન્ય પ્રશ્ન પરથી શરૂ થયેલો ઝઘડો હિંસામાં પરિણમ્યો. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.
પ્રેમિકાની હત્યા, નજીવી બાબતે પ્રેમીએ કાતર વડે કર્યો હુમલો.
ડિંડોલીમાં 10મા માળેથી પટકાતા 20 વર્ષીય શ્રમિક મહિલાનું મોત.
સુરતના ડિંડોલીમાં નવનિર્મિત બિલ્ડિંગના દસમા માળેથી પડી જતાં 20 વર્ષીય શ્રમિક રક્ષાબેન ડામોરનું કરૂણ મોત થયું છે. પરિવાર અને સમાજે બિલ્ડર તથા કોન્ટ્રાક્ટર પર સેફ્ટી નિયમોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાસ્થળે સેફ્ટી નેટ ન હોવાથી અકસ્માત જીવલેણ બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃતકને બે મહિનાનું બાળક હોવાથી પરિવારમાં શોક છવાયો છે. સમાજે આરોપીઓની ધરપકડ અને યોગ્ય વળતર મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
ડિંડોલીમાં 10મા માળેથી પટકાતા 20 વર્ષીય શ્રમિક મહિલાનું મોત.
ટ્રક અકસ્માતમાં 9 વર્ષની કિશોરીનું મોત, 3 ઈજાગ્રસ્ત.
ડભોડા પાસે ટ્રકે મોપેડને ટક્કર મારતા 9 વર્ષની હિતાંશીનું મોત નીપજ્યું. ભાવેશભાઈ સોની પરિવાર સાથે ડભોડા હનુમાનજી દર્શને જતા સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા મોપેડ સાથે અથડાયું. ત્રણ અન્ય સભ્યો ઈજાગ્રસ્ત, સારવાર હેઠળ. સ્થાનિકોમાં રોષ, સ્પીડબ્રેકરની માગ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
ટ્રક અકસ્માતમાં 9 વર્ષની કિશોરીનું મોત, 3 ઈજાગ્રસ્ત.
કેશોદમાં મોબાઈલ ટાવર પર યુવાનનો હાઈવોલ્ટેજ ડ્રામા, બે કલાક બાદ સુરક્ષિત ઉતારાયો.
સુરેન્દ્રનગરમાં સફાઈ સેવકોને ગરમીથી રક્ષણ: ટોપી અને લસ્સી વિતરણ.
સુરેન્દ્રનગરમાં કોર્પોરેટર પ્રદીપ વાસ્તાની દ્વારા સફાઈ કામદારોને ગરમીથી રક્ષણ માટે ટોપી અને લસ્સીનું વિતરણ કરાયું. તીવ્ર તાપમાં શહેરને સ્વચ્છ રાખતા આ કર્મયોગીઓ પ્રત્યે આદર વ્યક્ત કરી, તેમને લૂ થી બચાવવા આ પહેલ કરાઈ, જે સફાઈ સેવકોના ચહેરા પર સંતોષ લાવી.
સુરેન્દ્રનગરમાં સફાઈ સેવકોને ગરમીથી રક્ષણ: ટોપી અને લસ્સી વિતરણ.
ગરમીમાં પેટના રોગો વધ્યા, ઠંડા-પીણા જવાબદાર.
રાજકોટમાં ગરમીને કારણે પેટના રોગો અને ગેસ્ટ્રોની ફરિયાદો વધી રહી છે. છેલ્લા 4 માસમાં 3059 લોકોને પેટમાં અસહ્ય દુખાવા સાથે હોસ્પિટલ ખસેડાયા. ઠંડા-પીણા, બજારુ ખોરાક અને હાઈજેનિક ન હોય તેવા ખાદ્યપદાર્થો આ માટે જવાબદાર છે. ડોક્ટરોએ સાવચેતી રાખવા અને જરૂર પડ્યે તાત્કાલિક સારવાર લેવાની સલાહ આપી છે.
ગરમીમાં પેટના રોગો વધ્યા, ઠંડા-પીણા જવાબદાર.
ગોંડલ સબજેલમાં કાચા કામના કેદીનું સારવાર દરમિયાન રાજકોટથી પરત ફર્યા બાદ મોત.
હિમંતા બીજી વાર આસામના CM, PM મોદી હાજર રહેશે.
હિમંતા બિસ્વા સરમા બીજી વખત આસામના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે 4 અન્ય ધારાસભ્યો મંત્રી બનશે. આ સમારોહમાં PM મોદી સહિત NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. રવિવારે ધારાસભ્ય દળની બેઠકમાં હિમંતાને ફરીથી નેતા પસંદ કરાયા હતા. આસામમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે.
હિમંતા બીજી વાર આસામના CM, PM મોદી હાજર રહેશે.
આવતીકાલે પશ્ચિમ અમદાવાદમાં પાણીકાપ, પાણીનો સંગ્રહ કરવા અપીલ.
AMC દ્વારા જાસપુર પ્લાન્ટની 800 મી.મી. મુખ્ય એમ.એસ. લાઈનના સમારકામને કારણે 13 મેના રોજ પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. પ્રહલાદનગર, જોધપુર અને વેજલપુર વોર્ડના વિસ્તારોમાં પાણીની અછત રહેશે. નાગરિકોને જરૂરી પાણીનો સંગ્રહ કરવા વિનંતી.
આવતીકાલે પશ્ચિમ અમદાવાદમાં પાણીકાપ, પાણીનો સંગ્રહ કરવા અપીલ.
હિના પેથાણી હત્યા કેસ: કોર્ટે સચિન દીક્ષિતને આજીવન કેદ ફટકારી.
ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે 'મોન્સ્ટર અલ નીનો'
વૈશ્વિક હવામાન પરિવર્તનને લઈને વૈજ્ઞાનિકોએ અત્યંત ગંભીર અને ડરામણી આગાહી કરી છે. વર્ષ 2026માં પૃથ્વી પર સુપર અલ નીનો ત્રાટકવાની શક્યતા છે, જે છેલ્લા 150 વર્ષનો સૌથી શક્તિશાળી અને વિનાશક સાબિત થઈ શકે છે. જૂન 2026 સુધીમાં આ 'મોન્સ્ટર' અલ નીનો સક્રિય થવાની સંભાવના 70 ટકાથી વધુ છે. તેના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી શકે છે.
ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે 'મોન્સ્ટર અલ નીનો'
ગુજરાતમાં હીટવેવની આગાહી, તાપમાન 45 ડિગ્રી પાર પહોંચશે.
સાબરકાંઠાના રસુલપુર પાસે નેશનલ હાઈવે 48 પર ચાલુ કારમાં ભીષણ આગ, કાર બળીને ખાખ થઈ.
ઉદેપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સાબરકાંઠાના રસુલપુર ગામ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતા ચાલકે સમયસૂચકતા દાખવી કારને સાઈડમાં ઉભી રાખી તરત બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સાબરકાંઠાના રસુલપુર પાસે નેશનલ હાઈવે 48 પર ચાલુ કારમાં ભીષણ આગ, કાર બળીને ખાખ થઈ.
શું સોનાની ખરીદી ઘટશે?
PM નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી પર જનતાને સ્વ-અંકુશ લાદવા અનુરોધ કર્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડમાં અપેક્ષિત સફળતા ન મળતા અને સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યુટીની પણ કોઈ ખાસ અસર ન થતા પ્રજાને હાલની કપરી આર્થિક પરિસ્થિતિમાં એક વર્ષ સુધી કિંમતી ધાતુની ખરીદી ન કરવા અપીલ કરી છે. ગુજરાત ભારતના સૌથી મોટા બજારમાંનું એક બજાર છે. આ અપીલથી ગુજરાતના બજાર ઉપર પણ અસર થવાની શક્યતા છે
શું સોનાની ખરીદી ઘટશે?
હિમાચલમાં દર્દનાક અકસ્માત: ભાવનગરના 5 લોકોના મોત
જૂનાગઢ: ક્રિપ્ટો કરન્સી કૌભાંડ, 75 લાખની છેતરપિંડી અને રિવોલ્વરથી ધમકી.
જૂનાગઢ જિલ્લામાં USDT (ક્રિપ્ટો કરન્સી) માં ઊંચા વળતરની લાલચ આપી 75 લાખ પડાવી લીધા. બાદમાં રિવોલ્વર બતાવી ફરિયાદીને ધમકી આપી, નાણાં પાછા માંગતા અસલી ચહેરો બતાવ્યો. આરોપીઓએ બળજબરીથી લખાણો રદ કરાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી નાસી છૂટ્યા.
જૂનાગઢ: ક્રિપ્ટો કરન્સી કૌભાંડ, 75 લાખની છેતરપિંડી અને રિવોલ્વરથી ધમકી.
પંચમહાલ જિલ્લાના મુખ્ય હાઈવે પર 12 જોખમી કટ.
પંચમહાલ જિલ્લામાં હાઇવે પર ગેરકાયદે 'કટ' અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યા છે. હોટલ, પેટ્રોલ પંપ સંચાલકો અંગત સગવડ માટે ડિવાઇડર તોડી કટ બનાવે છે, જે વાહનચાલકો માટે ખતરનાક છે. તાજેતરમાં જ આવા ગેરકાયદે કટને કારણે 3 યુવાનોના મૃત્યુ થયા છે. National Highway Authority દ્વારા આવા કટ પર યોગ્ય કાર્યવાહીના અભાવે સમસ્યા યથાવત છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય હાઈવે પર 12 જોખમી કટ.
ગોધરા વોર્ડ 8માં પાણી સમસ્યાનો ઉકેલ: કાઉન્સિલરો દ્વારા સ્વખર્ચે બોર.
ગોધરાના વોર્ડ 8માં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. સિગ્નલ ફળીયા અને ઇમરાન મસ્જિદ આસપાસના રહીશોને પાણી માટે દૂર જવું પડતું હતું. કાઉન્સિલરો અસલમભાઈ દુર્વેશ અને ફેમીદાબેન વલીવાંકાએ સરકારી સહાયની રાહ જોયા વિના ₹50 હજાર સ્વખર્ચે ખર્ચીને બોરિંગ અને પાઇપલાઇન નાખી સમસ્યા હલ કરી. સ્થાનિકોમાં આનંદની લહેર છે.
ગોધરા વોર્ડ 8માં પાણી સમસ્યાનો ઉકેલ: કાઉન્સિલરો દ્વારા સ્વખર્ચે બોર.
આયુષ્માન મંદિરોમાં મમતા દિવસ: કિશોરીઓને આયર્ન-પોષણનું મહત્વ સમજાવ્યું.
મોડાસામાં રોકડિયા હનુમાનજી મંદિરનું ડિમોલિશન, લોકોએ મોડી રાત્રે હોબાળો કર્યો.
ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી ચાલુ છે, જેમાં મોડાસાના રોકડિયા હનુમાનજી મંદિરનું પણ ડિમોલિશન થયું. મોડી રાત્રે લોકોનું ટોળું એકત્ર થઈ હોબાળો મચાવ્યો, જેના પર પોલીસે કાબુ મેળવ્યો. DySP એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું.
મોડાસામાં રોકડિયા હનુમાનજી મંદિરનું ડિમોલિશન, લોકોએ મોડી રાત્રે હોબાળો કર્યો.
ડાભા ગામે માટી ખોદકામમાં પાણીની મુખ્ય લાઇન તૂટી, પાણી વેડફાયું.
જંબુસરના ડાભા-વાવલી ગામ પાસે ‘777’ ભઠ્ઠાના માલિકે JCB વડે ખોદકામ દરમિયાન મીઠા પાણીની મુખ્ય લાઇન તોડી નાખતાં હજારો લિટર પાણીનો વ્યય થયો છે. કાયદેસર પરવાનગી વગર કુદરતી સંપત્તિની લૂંટ અને સગીર વયના યુવકો દ્વારા ભારે વાહનો ચલાવવાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ડાભા ગામે માટી ખોદકામમાં પાણીની મુખ્ય લાઇન તૂટી, પાણી વેડફાયું.
ભરૂચમાં બ્રહ્મ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ: મહાકાલ ઇલેવન વિજેતા
કેડિલા ફાર્મા આગ: DISS ની ટીમે લીધાં નિવેદનો, તપાસ શરૂ.
અંકલેશ્વર કેડિલા ફાર્મામાં બે કર્મચારીઓ દાઝ્યા બાદ ડીશ (DISS) ની ટીમે તપાસ શરૂ કરી. MPP 2 પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનથી બ્લાસ્ટ અને આગ લાગી. ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ક્લોઝર નોટિસ ફટકારી. FSL અને પોલીસ પણ તપાસમાં જોડા્યા, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ શોધવા સેમ્પલ લેવાયા.
કેડિલા ફાર્મા આગ: DISS ની ટીમે લીધાં નિવેદનો, તપાસ શરૂ.
રાણીપુરા ગામમાં ગેરકાયદે માટી ખનન સામે સ્થાનિકોનો વિરોધ.
રાણીપુરા ગામમાં મંજૂરી વિના હજારો ટન માટી અને રેતીનું ખોદકામ ચાલી રહ્યું છે. સ્થાનિકોએ વિરોધ કરી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા બાંયો ચડાવી છે. ઓવરલોડ ડમ્પરોને કારણે રસ્તાઓ અને નાળાઓ તૂટી ગયા છે. જૂના તવરા ગામે પણ નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતીખનન સામે ખેડૂતોનો વિરોધ થયો હતો, જેમાં એક કરોડનો મુદ્દામાલ જપ્ત થયો.
રાણીપુરા ગામમાં ગેરકાયદે માટી ખનન સામે સ્થાનિકોનો વિરોધ.
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા.
ભાવનગરના ફુલસર વિસ્તારમાં રહેતો યુવાન ફોઇના પુત્રના લગ્નમાં આવ્યો હતો અને ડીજે ની મજા માણી રહ્યો હતો તે દરમિયાન યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી ત્રણ ઈસમોએ યુવાન પર આડેધડ છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. ભાવનગર શહેર જિલ્લામાં આવારા તત્વો જાણે કે બેફામ બન્યા હોય તેમ મારા મારી હત્યા સહિતના બનાવવાનું પ્રમાણે દિન પ્રતિદિન વધી રહ્યું છે. હજુ તો વિઠ્ઠલવાડી વિસ્તારમાં આધેડને છરીના ઘા ઝીંકાયા હોવાની ઘટનાને ૨૪ કલાક નથી થયા ત્યાં જ બીજી ઘટના ફુલસર વિસ્તારમાં બની હતી.