ભરૂચમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સફળતા માટે અનુષ્ઠાન સેમિનાર યોજાયો.
ભરૂચમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સફળતા માટે અનુષ્ઠાન સેમિનાર યોજાયો.
Published on: 15th June, 2026

શ્રાવણ વિદ્યાધામ ભરૂચ દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કે.જે.ચોકસી લાઈબ્રેરીમાં મોટિવેશનલ સ્પીકર પરેશભાઈ ભટ્ટ દ્વારા અનુષ્ઠાન સેમિનાર યોજાયો. આ સેમિનારમાં બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ માટે અસરકારક અભ્યાસ પદ્ધતિ, સમયનું યોગ્ય આયોજન, નિયમિત વાંચન-લેખન અને સકારાત્મક જીવનશૈલી વિશે માર્ગદર્શન અપાયું. વાલીઓને પણ વિદ્યાર્થીઓના અભ્યાસમાં મદદરૂપ થવા પ્રેરણા અપાઈ. વિદ્યાર્થીઓએ સફળતાના સંકલ્પ સાથે શૈક્ષણિક લક્ષ્યાંકો નક્કી કર્યા.