અંકલેશ્વરનો રેવા અરણ્ય પ્રોજેક્ટ: 25,000 વૃક્ષો બન્યા 75 પક્ષી-પ્રાણી પ્રજાતિઓનું આશ્રયસ્થાન
અંકલેશ્વરનો રેવા અરણ્ય પ્રોજેક્ટ: 25,000 વૃક્ષો બન્યા 75 પક્ષી-પ્રાણી પ્રજાતિઓનું આશ્રયસ્થાન
Published on: 15th June, 2026

ભરૂચ અંકલેશ્વર નજીક બોરભાઠા બેટ પાસે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા શરૂ કરાયેલ રેવા અરણ્ય પ્રોજેક્ટ હવે જૈવિક વિવિધતા ધરાવતો એક પરિપક્વ પ્રોજેક્ટ બન્યો છે. મિયાવાંકી પદ્ધતિથી ઉછેર કરાયેલા 25,000 થી વધુ વૃક્ષોએ આ વિસ્તારને જંગલ જેવો દેખાવ આપ્યો છે. અહીં 75 જેટલી પક્ષીઓ અને પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ આશ્રય મેળવે છે. સ્થાનિક બર્ડ લવર્સ ગ્રુપે પક્ષીઓના અવાજ રેકોર્ડ કર્યા અને નેચર લવર્સ ફોટોગ્રાફર્સે તેમની તસવીરો કેદ કરી. આ પ્રોજેક્ટમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો નથી. ગ્રાસિમ ફાયબર, ડેક્કન ફાઇન કેમ, સોલ્વે, શુભશ્રી પિગમેન્ટ, પી આઈ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ જેવી અનેક કંપનીઓએ CSR અંતર્ગત સહયોગ આપ્યો છે.