ગુજરાતના રસ્તા પર રોજ 20 મોત: ઓવરસ્પીડ બની અકસ્માતોનું મુખ્ય કારણ
ગુજરાતના રસ્તા પર રોજ 20 મોત: ઓવરસ્પીડ બની અકસ્માતોનું મુખ્ય કારણ
Published on: 15th June, 2026

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના 2024ના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં દરરોજ સરેરાશ 40 માર્ગ અકસ્માતો થાય છે, જેમાં 20 લોકો જીવ ગુમાવે છે. કુલ 15,588 અકસ્માતોમાં 7,717 મૃત્યુ થયા અને 14,000 થી વધુ લોકો ઘાયલ થયા, જેમાં 9,301 અપંગ બન્યા. ઓવરસ્પીડ એ અકસ્માતોનું મુખ્ય કારણ છે, ખાસ કરીને સીધા રસ્તાઓ પર. સાંજે 6 થી 9 વાગ્યા દરમિયાન સૌથી વધુ અકસ્માતો થાય છે. 25 થી 35 વર્ષના યુવાનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. પંચમહાલ અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં અકસ્માતો વધ્યા છે, જ્યારે અમદાવાદ શહેર અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં ઘટ્યા છે.