વલસાડની શ્રમજીવી સ્કૂલ ખાતે જ્ઞાન સહાયકોને નિમણૂક ઓર્ડર એનાયત
વલસાડની શ્રમજીવી સ્કૂલ ખાતે જ્ઞાન સહાયકોને નિમણૂક ઓર્ડર એનાયત
Published on: 22nd July, 2026

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” હેઠળ, વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શ્રમજીવી સ્કૂલ ખાતે જ્ઞાન સહાયકોને નિમણૂક ઓર્ડર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલના હસ્તે કુલ ૧૧૬ ઉમેદવારોને ૧૧ માસના કરાર આધારિત નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પણ વ્યક્તિત્વ ઘડતરના શિલ્પી છે. જ્ઞાન સહાયકોએ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સંસ્કાર અને જીવનમૂલ્યોનું સિંચન કરવા જણાવ્યું.