સુરતમાં વરસાદી કહેર: પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો
સુરતમાં વરસાદી કહેર: પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો
Published on: 22nd July, 2026

સુરત શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે, જેના કારણે જનજીવન પર અસર થઈ રહી છે. ઉધના દરવાજા-સચિન રોડ પર નવીન ફ્લોરીન અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક ભારે પાણી ભરાવાને કારણે માર્ગ વાહનવ્યવહાર માટે જોખમી બન્યો છે. આ સ્થિતિમાં, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત પાલિકાએ સિટી બસ સેવામાં ફેરફાર કર્યો છે. R-11 (ઉધના દરવાજા-સચિન) રૂટ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવ્યો છે, જ્યારે R-16 (કોસાડ-સચિન) રૂટ માત્ર ડિંડોલી વારીગૃહ સુધી ચલાવવામાં આવશે. પાણીના નિકાલની કામગીરી ચાલુ છે અને પરિસ્થિતિ સામાન્ય થતાં બસ સેવાઓ પુનઃ શરૂ થશે.